ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રીઓએ તેમના કાર્યકાળમાં પરિષદના અધિવેશનમાં આપેલા પ્રમુખીય ભાષણોના ત્રણ ભાગમાં — પહેલા ભાગમાં ૧૩ બીજામાં ૧૧ અને ત્રીજા ભાગમાં ૧૭ એમ કુલ ૪૪ — ભાષણો પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે. ૧૯૦૫થી ૨૦૦૯ સુધીના વર્ષના પ્રમુખોએ આપ્યા હતા તે ભાષણો અહીં ડીજીટલરૂપે જોવા મળશે. દરેક વ્યાખ્યાનનો વિષય નોખો-અનોખો છે. આ વ્યાખ્યાનોના વિષયમાં સાહિત્ય તો છે જ પરંતુ સાથે સાથે ભાષાનો ઇતિહાસ, વ્યાકરણ, ભાષાનું વિજ્ઞાન,સાહિત્ય સાથે જોડાયેલો સમાજ, સાહિત્ય અને સંગીત, નૃત્ય જેવી કળાઓ, ગુજરાતી સાહિત્યના ઉદય પહેલાનું સાહિત્ય, પરિષદની કલ્પના અને એનો સંક્ષેપમાં ઇતિહાસ, લોકશાહીની વ્યાખ્યા અને વ્યાપ્તિ, પરિષદનું બંધારણ એમ વિવિધ વિચારોનો મેળો છે. અહીં તર્ક પણ છે અને કળા પણ છે એ રીતે આ ભાષણો આપણું સાક્ષરજગતનું મોઘેરું નજરાણું છે. આપણું ગૌરવ આપણો વારસો છે.
કીર્તિદા શાહ, મહામંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદ