Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

કંસારા બજાર

મનીષા જોષી


વિભાગ : કવિતા

સર્જકની સાથે

 કોઈ સર્જકને પોતાની કૃતિથી પૂર્ણ પરિચિતતા ક્યારેય અનુભવાય ખરી? ‘કંદરા’ના કાવ્યો આજે સાવ નોંધારા લાગે છે તેમ આ કાવ્યો પણ ક્યારેક એવા જ અનાથ લાગશે. પણ, અત્યારે તો હું વ્યક્ત થઈ રહી છું, આ કાવ્યોના માલિકીભાવ સાથે.

‘કંસારા બજાર' એટલે સ્વ અને સમગ્ર વચ્ચેનો સંઘર્ષ માત્ર. અસ્તિત્વની સાતત્યતા જાળવવાના પ્રયત્નમાં લખાયેલી થોડીક કવિતાઓના અનુસંધાન અહીં મળે છે. કપડાં અને વાસણોમાં પૂરાતી, મુક્ત થતી ચેતના આમ જ કણસતી રહેશે, જીવાતું રહેશે.

સદ્ભાગ્યે, જીવનમાં સ્વજનોની યાદી ખૂબ લાંબી છે, એટલે અહીં સૌને માત્ર એક અંગત યાદ. આ સંગ્રહના પ્રકાશક અને મૂળ તો કવિતાના આજીવન ભેખધારી ડૉ. સુરેશ દલાલનો વિશેષ આભાર.

 – મનીષા જોષી

author

મનીષા જોષી

વધુ જાણો

મનીષા જોષી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો