Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

વાસ્તુ

યોગેશ જોષી


વિભાગ : નવલકથા

‘વાસ્તુ’ના ઇ-પ્રકાશન નિમિત્તે


ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનરામ ત્રિપાઠી તથા ઘનશ્યામદાસ શરાફ પુરસ્કાર વિજેતા, કૅન્સર વિષયક નવલકથા ‘વાસ્તુ’ના ઈ-પ્રકાશન નિમિત્તે થોડી વાત –

‘શ્રેષ્ઠ અનિરુદ્ધ’માં યોગેશ જોષીએ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિશે ‘એમ તો હું મચક આપું એવો નથી’ શીર્ષકથી હૃદયસ્પર્શી લેખ કર્યો છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના અંતિમ વર્ષોમાં યોગેશ જોષી એમની નજીક હતા. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લ્યુકેમિયા (બ્લડ કૅન્સર) રોગ થયેલો ને કૅન્સર સામે, મરણ સામે તેઓ ઝઝૂમેલા. એ બધું યોગેશે નિકટથી જોયેલું. એ વેદના યોગેશની સર્જકચેતનામાં ઊતરી હશે.

‘વાસ્તુ’ના નાયક સંજયને લ્યુકેમિયા છે. એ આ રોગ સામે સ્વસ્થ રહીને ઝઝૂમે છે, મરણને હંફાવે છે, મચક આપતો નથી, હતાશા-નિરાશામાં સરતો નથી, રોદણાં રોતો નથી, બુદ્ધિપૂર્વક, સમજપૂર્વક જીવે છે. એ સમયે કૅન્સરનાં દરદી ભાગ્યે જ બચતાં. અત્યારે અદ્યતન સારવારથી કૅન્સરનાં મોટા ભાગનાં દરદી મોતના મુખમાંથી બહાર આવી સ્વસ્થ જીવન જીવે છે.

પરકાયા પ્રવેશ એ આ લેખકની તાકાત છે. કૅન્સરગ્રસ્ત નાયકમાં આ લેખક પરકાયા પ્રવેશ કરી શક્યા છે. આથી મૃત્યુનાં સંવેદનો આ નવલકથામાં તીવ્રતાથી વ્યક્ત થાય છે. એ માટેનું કવિકર્મ જેવું એમનું ભાષાકર્મ ધ્યાનાર્હ છે. મૃત્યુ વિશેનું ચિંતન, દર્શન વ્યક્ત કરવામાં લેખક સફળ થયા છે. અસાધ્ય રોગથી પીડાતા દરદીઓ આ નવલકથામાં જાણે પોતાની જ વાત હોય એવું તાદાત્મ્ય અનુભવે છે.

‘શબ્દસૃષ્ટિ’માં આ નવલકથા પ્રગટ થઈ ત્યારે શ્રી મનસુખ સલ્લાએ યોગેશને લખેલા પત્રમાં નોંધ્યું છે —
“...તમે પરિવેશ સર્જવામાં અને મૃત્યુના કરાલ-મધુર રૂપને તથા મૃત્યુ સામે ઝઝૂમતા નાયકને શબ્દરૂપ આપવામાં સફળ થયા છો. હારવું નહિ, ઝૂઝવું એ મનુષ્યના ગૌરવને પ્રગટ કરે છે – ગ્રીક નાયકોની જેમ.

તમારી ભાષા આવા નાજુક વિષયને અનુકૂળ એવી સૂક્ષ્મતા અને સૂચકતા સિદ્ધ કરી શકી છે.”

કૅન્સરના દરદીઓને હતાશ-નિરાશાથી ભાંગી પડવાને બદલે, કૅન્સર સામે ઝઝૂમીને, કૅન્સરને હરાવવાની પ્રેરણા આ નવલકથામાંથી મળશે એવી આશા છે. ડૉક્ટર પણ દરદીને આ નવલકથાનું વાંચન સૂચવી શકે.

author

યોગેશ જોષી

વધુ જાણો

યોગેશ જોષી રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો