સુરેશ જોષી
લેખક
સુરેશ હ. જોષી (જ. 30-5-1920, અવ. 6-9-1986) ગુજરાતી સાહિત્યની એક અનોખી પ્રતિભા હતા.
કોઈપણ સાહિત્યમાં જુદીજુદી શક્તિવાળા અનેક લેખકો હોવાના, કેટલાક વિશેષ પ્રભાવશાળી પણ હોવાના; પરંતુ, આખા સાહિત્યસમયમાં પરિવર્તન આણનારા તો સદીમાં એકબે જ હોવાના – સુ.જો. એવા એક યુગવર્તી સાહિત્યકાર હતા.
એમનો જન્મ દક્ષિણ ગુજરાતના વાલોડમાં. નજીકના સોનગઢના વનવિસ્તારમાં એ ઊછર્યા. એ પ્રકૃતિના સૌંદર્યની, એની રહસ્યમયતાની એમના સર્જકચિત્ત પર ગાઢ અસર પડી.
મુંબઈથી એમ.એ. થઈને પછી કરાંચીમાં, વલ્લભવિદ્યાનગરમાં અધ્યાપન કર્યું. પણ એમની લાંબી કારકિર્દી (1951-1981) તો વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે રહી. વડોદરા જ એમની ઉત્તમોત્તમ સાહિત્યપ્રવૃત્તિનું થાનક બન્યું.
સુરેશ જોષીએ વિશ્વભરના સાહિત્યનો વિશાળ અને ઊંડો પરિચય કેળવ્યો. એ સમય પશ્ચિમનાં ચિંતન અને સાહિત્યમાં આધુનિકતા–modernityનો હતો. એના પરિશીલનદ્વારા પરંપરાગત ગુજરાતી સાહિત્યના પ્રવાહને એમણે, પ્રભાવક લેખનથી આધુનિકતાવાદી આંદોલનની દિશામાં પલટ્યો. સતત લખતા રહીને એમણે પોતાના વિવેચન દ્વારા અને ‘ક્ષિતિજ’ વગેરે 6 જેટલાં સામયિકો દ્વારા નવા યુગની મુદ્રા રચી; કવિતા-વાર્તા-નવલકથા-વિવેચનનાં અનેક પુસ્તકોના અનુવાદ દ્વારા એમણે પશ્ચિમની તેજસ્વી પ્રતિભાઓને ગુજરાતીના લેખકો-વાચકો સામે મૂકી આપીને એક નવા યુગની આબોહવા પ્રગટાવી.
સર્જક તરીકે એમણે કવિતા અને નવલકથા તો લખ્યાં જ, પણ એમની સર્જકતાનું શિખર એમની વિલક્ષણ ટૂંકી વાર્તાઓ. ‘ગૃહપ્રવેશ’(1957)થી શરૂ થતા એ વાર્તાપ્રવાહથકી એમણે માનવચિત્ત અને સંવેદનનાં ઊંડાણોનો પરિચય કરાવતી વિશિષ્ટ વાર્તા રચી – માત્ર કથા નહીં પણ રચના, એ સુરેશ જોષીનો વાર્તા-વિશેષ.
સુરેશ જોષીનું બીજું સર્જક-શિખર તે એમના સર્જનાત્મક, અંગત ઉષ્માવાળા લલિત નિબંધો. ‘જનાિન્તકે’(1965)થી શરૂ થયેલો એ આનંદ-પ્રવાહ બીજાં પાંચ પુસ્તકોમાં વિસ્તર્યો.
આવી બહુવિધ પ્રતિભાવાળા વિદગ્ધ વિવેચક અને સર્જક હોવા ઉપરાંત સુરેશભાઈ સમકાલીન અને અનુકાલીન ગુજરાતી સર્જકો - વિવેચકો માટે પ્રેરણારૂપ પણ બન્યા અને આધુનિક ગુજરાતી સાહિત્યનો નવો પ્રવાહ પ્રગટાવતી એક નૂતન પરંપરા ઊભી થઈ.
(પરિચય - રમણ સોની)
સુરેશ જોષી દ્વારા અન્ય પુસ્તકો
-
ઇબુક
આત્મપરિચય
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
કાફકા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
દોસ્તોએવ્સ્કી
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
આલ્બેર કૅમ્યૂ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
રિલ્કે
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
અષ્ટમોઅધ્યાય
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ચિન્તયામિ મનસા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
અરણ્યરુદન
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
શૃણ્વન્તુ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
કાવ્યચર્ચા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
કથોપકથન
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ગુજરાતી કવિતાનો આસ્વાદ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
કિંચિત્
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
મરણોત્તર
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
છિન્નપત્ર
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
કથાચક્ર
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
વિદુલા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
એકદા નૈમિષારણ્યે
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ન તત્ર સૂર્યો ભાતિ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
અપિ ચ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
બીજી થોડીક
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ગૃહપ્રવેશ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ઉપજાતિ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
પરકીયા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
તથાપિ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ઇતરા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
પ્રત્યંચા
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
આત્મનેપદી
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
વિદ્યાવિનાશને માર્ગે
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
પશ્યન્તિ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ઇતિ મે મતિ
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
પ્રથમ પુરુષ એકવચન
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
રમ્યાણિ વીક્ષ્ય
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
અહો બત કિમ્ આશ્ચર્યમ્
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
ઇદમ્ સર્વમ્
લેખક: સુરેશ જોષી
-
ઇબુક
જનાન્તિકે
લેખક: સુરેશ જોષી