Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

બૃહદ પિંગળ

રામનારાયણ વિશ્વનાથ પાઠક


વિભાગ : વિવેચન

‘બૃહત્ પિંગળ’ની આ પહેલી આવૃત્તિ 1955માં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા દેવનાગરી લિપિમાં પ્રગટ થયેલી, જેથી હિંદી-મરાઠી-ભાષી અભ્યાસીઓ પણ કોઈ ખાસ વ્યવધાન વગર એ વાંચી શકે. એ પહેલાં રણછોડભાઈ દવે તથા કેશવલાલ ધ્રુવનાં પિંગળ અંગેનાં પુસ્તકો પણ દેવનાગરી લિપિમાં પ્રગટ થયેલાં.

છંદશાસ્ત્ર(પિંગળ)નાં સર્વ પાસાંને આવરી લેતો, અક્ષરમેળ-માત્રામેળ-સંખ્યામેળ છંદો ઉપરાંત ડિંગળના ને ગઝલના છંદોની, તેમ જ ગેય એવી દેશીઓની ને પ્રવાહી છંદપ્રયોગોની ભરપૂર ઉદાહરણો સાથેની પ્રત્યક્ષ ચર્ચા કરતો આ બૃહદ ગ્રંથ આપણી મોટી મૂડી છે. વિદ્વાન પ્રો. ડોલરરાય માંકડે એને યોગ્ય રીતે જ ‘શકવર્તી’ – સદીઓમાં એક વાર થતો – ગ્રંથ ગણાવ્યો છે.

સતત 16 વર્ષ સુધી વિવેચક-સર્જક રામનારાયણ પાઠકનું ચિત્ત છંદ-અભ્યાસમાં પણ રમમાણ રહ્યું. પિંગળ વિશેના અનેક પ્રાચીન-અર્વાચીન ગ્રંથોના અધ્યયન ઉપરાંત શાસ્ત્રીય સંગીતનો પણ જરૂરી પરિચય એમણે કેળવ્યો. કવિતાનો બહોળો પરિચય બલકે પરિશીલન તો એમનું હતું જ. ‘બૃહત્ પંગિલ’પૂર્વે એમનો છંદ-અભ્યાસ ‘પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના’(1948), ‘ગુજરાતી પિંગળ નવી દૃષ્ટિએ’(1952)માં પ્રસરતો રહેલો. એમણે ‘મધ્યમ પિંગળ’ પણ લખેલું જે છેક 1981માં સંપાદન રૂપે પ્રગટ થયેલું છે. પિંગળ અંગે સતત ચાલેલું એમનું આ મહત્ત્વનું વિદ્યાકાર્ય એમણે અત્યંત શ્રમ ઉપરાંત અખૂટ રસથી કર્યું.

પરંતુ એમનો આ ગ્રંથ ‘બૃહત્ પિંગળ’ પ્રકાશિત થાય એના થોડાક જ દિવસો પહેલાં એમનું અવસાન થયું! આ ગ્રંથની ગુજરાતી લિપિમાં નવી આવૃત્તિ 1992માં પ્રગટ થયેલી છે. પરંતુ આ પહેલી આવૃત્તિ (મુદ્રિત રૂપમાં) હવે દુર્લભ છે.

– રમણ સોની

author

રામનારાયણ વિશ્વનાથ પાઠક

વધુ જાણો

રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો