Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

નર્મદ – અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા

રામનારાયણ વિશ્વનાથ પાઠક


વિભાગ : વિવેચન

નર્મદ વિશે આપેલાં બે દીર્ઘ વ્યાખ્યાનો ‘નર્મદાશંકર કવિ’ અને ‘નર્મદનું ગદ્ય’ને સમાવતું આ પુસ્તક 1945માં પ્રકાશિત થયેલું.

પહેલા વ્યાખ્યાનમાં નર્મદની કવિતામાંથી ભરપૂર ઉદાહરણો લઈને એ કવિતાની આસ્વાદાત્મક, સમીક્ષા કરી છે ને સમગ્રના સંદર્ભે એનું મૂલ્યાંકન પણ કર્યું છે. બીજા વ્યાખ્યાનમાં નિબંધ, કોશ, વિવેચન, વક્તવ્યો, ‘રાજ્યરંગ’ વગેરેને સમાવતા નર્મદના સર્વ ગદ્યગ્રંથોની તપાસ કરીને ગદ્યકાર નર્મદની ઉચિત મૂલવણી કરી છે.

‘નર્મગદ્ય’ની શાલેય આવૃત્તિમાં મહીપતરામે કેવા અનુચિત ફેરફારો કરી દીધેલા એની ચર્ચા અનેક તુલનાત્મક ઉદાહરણો નોંધીને પાઠકસાહેબે સ્પષ્ટ રીતે કરી છે, તો પરિશિષ્ટમાં નર્મદની ઉદારતા ક્યાંક ઉડાઉગીરી પણ હતી એ પણ બતાવ્યું છે.

ગદ્યપદ્ય-સર્જક તરીકે નર્મદની વિલક્ષણ પ્રતિભા આ પુસ્તકમાં અધિકૃત રીતે ઊપસી છે.

– રમણ સોની

author

રામનારાયણ વિશ્વનાથ પાઠક

વધુ જાણો

રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો