Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગીત-પંચશતી


વિભાગ : અનુવાદ

આ પુસ્તકમાં રવીન્દ્રનાથનાં પાંચસો ગીતોનું સંકલન કરવામાં આવ્યું છે. આ ગીતોનું ગુજરાતી લિપિમાં મૂળ બંગાળી પાઠ અને તેનો ગુજરાતી અનુવાદ બન્નેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના જાણીતા સાહિત્યકારોએ ગીતોનાં અનુવાદ કર્યા છે.
 
સંગીત રવીન્દ્રનાથની વિરાટ પ્રતિભાનો એક અંશમાત્ર છે. પણ તે તેમની મોટી સાધનાનો - બહુજ અંતરંગ - અંશ છે. તેમના જ શબ્દોમાં: “હું નિશ્ચિતપણે જાણું છું કે ભવિષ્યના દરબારમાં મારી કવિતા-વાર્તા-નાટકનું જે થવાનું હોય તે થશે, પણ મારાં ગીતોને તો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાને ગાવાં જ પડશે - બંગાળના ઘરે - ઘરમાં, તરુહીન, દુદૂર પથ પર, મેદાનોમાં, નદી કાંઠે મેં જોયું છે. મારાં ગીત જાણ્યે કે મારા અચેતન મનમાંથી આપમેળે નીકળ્યા છે. એટલા જ માટે તેમાં એક સંપૂર્ણતા છે.”
 
‘ગીત પંચશતી'નું સંપાદન ગુરુદેવનાં ભત્રીજી શ્રીમતી ઇન્દિરાદેવી ચૌધુરાણી એ કર્યું છે. આ ગ્રંથની ભૂમિકા પણ એમણે જ લખી છે.

અન્ય પુસ્તકો