Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

દેવતાત્મા હિમાલય

ભોળાભાઈ પટેલ


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

હિમાલયને કવિ કાલિદાસે ‘દેવતાત્મા’ કહ્યો છે – એ શ્રદ્ધાભર્યું સંવેદન અપનાવીને લેખકે આ પુસ્તકના પૂર્વાર્ધમાં ઉત્તરાખંડી હિમાલયનાં સૌંદર્ય-તીર્થસ્થાનો – હરદ્વાર, હૃષીકેશ, મસૂરી, ગંગોત્રી, કેદારનાથ, વગેરેના – પોતાના યાત્રા-પ્રવાસનું મનોરમ વર્ણન કર્યું છે. ભાગીરથી ગંગાની સાથે સૌમ્ય મંદાકિની, રુદ્રગતિ અલકનંદાનાં અનોખાં રૂપો પણ આલેખ્યાં છે. પૌરાણિક કથાઓ, કાલિદાસની, રવીન્દ્રનાથ ટાગોરની, ઉમાશંકર જોશીની કવિતા પણ આ સૌંદર્યસ્થાનોની સમાંતરે લેખકની સ્મૃતિમાં ઊપસતી રહે છે. એથી સ્થળદર્શનના આનંદને વિશેષ પરિમાણ મળે છે.
 
આ હિમાલય-દર્શન ઉપરાંત આ પુસ્તકના ઉત્તરાર્ધમાં, રાણકપુરનું જૈન તીર્થ (જેને લેખક ‘આરસપહાણનું અરણ્ય’ કહે છે.), ઈડરની પર્વતાવલિ, આબુ પર્વત, ગિરનાર, ઘૂમલી, ઉજ્જયિની અને મહાકાલ મંદિર, ‘ગુલાબી જાંયનું નગર’ જયપુર, ભોપાલ, ચંડીગઢ – એવાં વિભિન્ન સ્થળે સાહિત્યિક-વિદ્યાકીય કાર્યક્રમો પ્રસંગે કે ભ્રમણેચ્છાથી જવાનું થયું – એના પણ બહુ દિલચશ્પ નિબંધો છે.
 
ભોળાભાઇના આ લેખો-નિબંધોમાં સહજ રીતે નોંધાયેલી ઉપયોગી માહિતી છે, અંગત-પારિવારિક યાત્રાનુભવોનું બયાન પણ છે અને એક રુચિસંપન્ન સાહિત્યકારે કરેલું રસ-સૌંદર્ય-દર્શન પણ છે.
 
એથી આ પુસ્તકમાંથી પસાર થવાનો આનંદ વિસ્મય અને જ્ઞાનનો આનંદ પણ અવશ્ય બની રહેશે.
author

ભોળાભાઈ પટેલ

વધુ જાણો

ભોળાભાઈ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો