Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

કાંચનજંઘા

ભોળાભાઈ પટેલ


વિભાગ : પ્રવાસ-સાહિત્ય

પ્રવાસના અનુભવોને આલેખતા આ નિબંધોમાં સ્થળવર્ણન, સાહિત્ય-સ્મરણ, સાંસ્કૃતિક વિમર્શ તો છે જ, પણ એ કરતાં અહીં અંગત સંવેદનનો ઊર્મિઉછાળ – એક પ્રકારનો લિરિકલ ટોન વધુ ઊપસે છે. ઘણુંખરું એ શાંતિનિકેતન-નિવાસ વખતે લખાયેલા, વર્તમાનપત્રમાં, સામયિકોમાં છપાયેલા, કેટલાક રેડીઓ પરથી પ્રસારિત થયેલા છે. પૂર્વ ભારતનાં કાંચનજંઘા, કલકત્તા, શાંતિનિકેતન, અસમ, માઝુલી; તો મધ્યપ્રદેશનું સાંચી; ઉત્તરમાં આબુ વગેરે સ્થળોનાં સૌંદર્યના રસાનુભવો આપણને પણ એવો જ રસાનુભવ કરાવે છે.
 
એ નિબંધોની ભાષામાં લાલિત્ય છે, એનાં વાક્યોમાં, પદાવલીમાં, ઉપમા આદિ અલંકારોમાં લેખકનું રુચિર સંવેદન સરસ ઊપસ્યું છે. દેશના વિવિધ ભાગોનાં આ ભ્રમણોની સાથે ઘર-વતનનાં ઉષ્માભરેલાં સ્મરણો પણ એટલાં જ રસપ્રદ રીતે નિરૂપણ પામ્યાં છે.
 
‘આ ફૂલનું નામ શું?’ એ નિબંધ તો એક પ્રસંગ-આધારિત છતાં પૂરેપૂરો લલિત નિબંધ છે. કેટલાક નિબંધો ઋતુકેન્દ્રી આહ્લાદને આલેખે છે.
 
પાછળના થોડાક નિબંધો ચિંતન અને ઊર્મિનું સમરસ નિરૂપણ કરતા, ને એમ વિશિષ્ટ સર્જકતા દાખવનારા છે. એવા એક નિબંધમાં લેખક કહે છે : ‘આપણે બસની રાહ જોતા હોઈએ, ત્યારે કંટાળીને ઘડિયાળ જોયા કરીએ એને બદલે આસપાસની એ સમયની આવનજાવન માણી શકીએ તો…’
 
ભોળાભાઈની આવી લાક્ષણિક સર્જકતાને માણવા હવે એમની સૃષ્ટિમાં જ પ્રવેશીએ…
author

ભોળાભાઈ પટેલ

વધુ જાણો

ભોળાભાઈ પટેલ રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો